
જો તમારી પાસે એકસાથે ₹10 લાખ આવ્યા છે (જેમ કે PF/ગ્રેચ્યુઈટી, પ્રોપર્ટીનું વેચાણ કે બોનસ), તો સૌથી પહેલો સવાલ એ થાય કે, આ પૈસા ક્યાં અને કેવી રીતે રોકવા? 'ધ સાયકોલોજી ઓફ મની' ના લેખક મોર્ગન હાઉસેલના વેલ્થ સિક્રેટ્સ અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સની સલાહને આધાર બનાવીએ, તો નાણાકીય બાબતોમાં તમારું વર્તન તેમજ સાચું એસેટ એલોકેશન જ એ નક્કી કરે છે કે, તમે તે નાણાંમાંથી કેટલું મોટું ફંડ બનાવી શકશો.

શેરબજારમાં તેજી જોઈને લોકો અવારનવાર પૂરા ₹10 લાખ એક જ વારમાં ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દે છે. જો બજારમાં કોઈ મોટો ઘટાડો આવી જાય, તો ગભરાટમાં આવીને તેઓ નુકસાનમાં પૈસા પાછા ખેંચી લે છે. રોકાણનો સ્માર્ટ રસ્તો એ છે કે, ₹10 લાખને એકસાથે ન રોકતા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP) ની પદ્ધતિ અપનાવો. સમગ્ર રકમને પહેલાં કોઈ લિક્વિડ કે શોર્ટ-ટર્મ ડેટ ફંડમાં મૂકો અને ત્યાંથી દર મહિને એક નિશ્ચિત રકમ (જેમ કે- ₹25,000 થી ₹30,000) ઈક્વિટી ફંડ્સમાં ટ્રાન્સફર (SIP) થવા દો. આનાથી બજારના ઉતાર-ચઢાવનું જોખમ ઘણું ઘટી જાય છે.

જોખમ અને રિટર્નનું સાચું સંતુલન બનાવવા માટે તમે તમારા ₹10 લાખને ઉપર ફોટોમાં જણાવેલ 4 ભાગમાં વહેંચી શકો છો. જો તમે આ ₹10 લાખના પોર્ટફોલિયોને અડ્યા વગર લાંબા સમય માટે છોડી દો છો અને સરેરાશ 12% થી 14% નું વાર્ષિક કમ્પાઉન્ડિંગ રિટર્ન મળે છે. જો તમે આ ₹10 લાખના પોર્ટફોલિયોને અડ્યા વગર લાંબા સમય માટે છોડી દો છો અને સરેરાશ 12% થી 14% નું વાર્ષિક કમ્પાઉન્ડિંગ રિટર્ન મળે છે, તો 10 થી 15 વર્ષમાં એક મોટું ફંડ તૈયાર થઈ શકે છે.

12% વાર્ષિક રિટર્નના હિસાબે 5 વર્ષ પછી આ રકમ લગભગ ₹17.62 લાખ અને 10 વર્ષ પછી વધીને લગભગ ₹31.06 લાખ થઈ જશે. બીજી તરફ, જો તમને 14% નું વાર્ષિક રિટર્ન મળે છે, તો 15 વર્ષ પછી તમારું આ જ ₹10 લાખનું રોકાણ વધીને લગભગ ₹71.38 લાખ બની જશે. રોકાણ શરૂ કરતા પહેલાં તમારા પરિવાર માટે પૂરતો હેલ્થ ઈન્સ્યોરન્સ અને ટર્મ પ્લાન ચોક્કસથી લો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો તમારું ₹10 લાખનું રોકાણ તૂટે નહીં.

જો તમને આ પૈસા 3 વર્ષની અંદર જોઈતા હોય, તો ઈક્વિટીથી દૂર રહો અને FD/ડેટ ફંડમાં જ રોકાણ કરો. 5 વર્ષ કે તેથી વધુ સમય હોય ત્યારે જ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પસંદ કરો. બજારના રોજિંદા ઉતાર-ચઢાવને જોઈને ગભરાઈને વેચાણ ન કરો. કમ્પાઉન્ડિંગનો અસલી જાદુ સમય વિતવાની સાથે જ દેખાય છે.
Published On - 2:00 pm, Fri, 21 August 26