
સૈન્ય બેઝ એ બીજા દેશમાં રહેલો સેનાનો અડ્ડો છે. નૌકાદળ, સેના અને વાયુસેના માટે સુરક્ષા સાધનો, સૈનિકો અને સંસાધનો અહીં તૈનાત કરવામાં આવે છે. તે એક સંચારક્ષમ સ્થળ છે, જ્યાં સૈનિકોની તાલીમ, શસ્ત્રોનો સંગ્રહ, લશ્કરી સાધનોની જાળવણી અને વિવિધ લશ્કરી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સૈન્ય બેઝનો હેતુ સુરક્ષા, સંરક્ષણ અને લશ્કરી કામગીરી માટે આયોજન કરવાનો છે.

ભારતે સૈન્ય બેઝ ક્યાં બનાવ્યા છે? : ચીન અને પાકિસ્તાન તરફથી ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સમગ્ર વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતનો પહેલો વિદેશી એરબેઝ ફારખોર તાજિકિસ્તાનના દક્ષિણમાં છે.

આ ઉપરાંત, ભૂતાન અને ભારત વચ્ચે સારી મિત્રતા પણ છે. તેથી, ભારતીય લશ્કરી તાલીમ ટીમ પણ ભૂટાનમાં હાજર છે. ભારતે મોરેશિયસમાં એક સૈન્ય બેઝ પણ સ્થાપિત કર્યું છે જે ભારતીય દરિયાઈ વિસ્તારનું નિરીક્ષણ અને રક્ષણ કરે છે.

ભારત પાસે ઓમાનના રસ અલ હદ્દમાં એક લિસનિંગ પોસ્ચ છે અને ડુક્મમાં એક સૈન્ય બેઝ છે. ભારતીય વાયુસેના અને નૌકાદળના જહાજોનું સમારકામ અને સપ્લાય અહીં કરવામાં આવે છે. આ ઉપરાંત, ભારતનો સિંગાપોરમાં એક સુરક્ષા મથક છે. અહીં ચાંગી નેવલ બેઝ છે, જે મલાક્કા સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર નજર રાખે છે.