
જો પરિવારમાં કોઈ પણ સ્ત્રીને સ્તન, અંડાશય અથવા આંતરડાનું કેન્સર થયું હોય, તો જોખમ વધી જાય છે.જે સ્ત્રીઓ ક્યારેય ગર્ભવતી થઈ નથી તેમનામાં આ જોખમ થોડું વધારે જોવા મળ્યું છે.

જો કોઈ સામાન્ય લક્ષણ લાંબા સમય સુધી ચાલુ રહે, તો તેને ગંભીરતાથી લો અને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. જાગૃતિ વધારવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી સ્ત્રીઓને તેમના લક્ષણો ઓળખવામાં મદદ મળશે.

જોકે અંડાશયના કેન્સરને સંપૂર્ણપણે અટકાવી શકાતું નથી, પરંતુ કેટલીક સાવચેતીઓ આ જોખમ ઘટાડી શકે છે. સ્વસ્થ આહાર લો અને નિયમિત કસરત કરો. શરીરમાં થતા કોઈપણ ફેરફારને અવગણશો નહીં. તેમજ નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવતા રહો. જો પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય, તો સમય સમય પર ડૉક્ટરની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)