વંધ્યત્વ ભારતમાં એક મોટી સમસ્યા બની રહી છે.મહિલા હોય કે પુરુષ તમામ આનો શિકાર બની રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઈલ વંધ્યત્વનું એક મોટું કારણ છે.
ડોક્ટરનું કહેવું છે, જ્યારે કોઈ દંપતી એક વર્ષ સુધી ગર્ભધારણનો પ્લાન કરે છે, પરંતુ છતાં બાળક કન્સીવ કરવામાં અસમર્થ છે, ત્યારે તેને વંધ્યત્વ કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં એગ ન બનવા અને પુરુષોના સ્પર્મની ગુણવતા વંધ્યત્વનું કારણ બની શકે છે.
ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચંચલ શર્મા કહે છે કે, પર્સનલ સ્વચ્છતા ન રાખવાથી ચેપ લાગે છે. આ ચેપ મહિલાઓના પ્રજનન અંગો સુધી ફેલાય છે. આજની લાઈફસ્ટાઈલ ખુબ ખરાબ થઈ ગઈ છે.
ખરાબ લાઈફસ્ટાઈલની અસર મહિલાઓની ઈમ્યુનિટી પર પડે છે.બીજું કારણ કરિયરના કારણે મહિલાઓ મોડા લગ્ન કરી રહી છે.સ્ત્રીઓમાં વંધ્યત્વ ઘણા કારણોસર હોય શકે છે, જેમાં હોર્મોનલ અસંતુલન, PCOS, એન્ડોમેટ્રિઓસિસ અને ફેલોપિયન ટ્યુબની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ખરાબ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.
આનાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે અને સ્ત્રીઓને બાળક કંસીવ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પુરુષોમાં પણ વંધ્યત્વ વધી રહ્યું છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ રહ્યા છે. આનું કારણ ફાસ્ટફુડ ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ પણ છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
Published On - 7:21 am, Sat, 5 April 25