
જસ્ટિસ એ.વાય. કોગેજે અને એન.એસ. સંજય ગૌડાની બેન્ચે કહ્યું કે, કોઈપણ વિદેશી કોર્ટનો નિર્ણય હિન્દુ મેરેજ એક્ટ સંબંધિત લગ્ન પર લાગુ થશે નહીં. ભલે પતિ-પત્નીએ વિદેશી નાગરિકતા લીધી હોય.

કોર્ટે ફેમિલી કોર્ટના જૂના આદેશને ફગાવી દીધો અને પત્નીની અપીલ સ્વીકારી અને કેસની ફરીથી યોગ્યતાના આધારે સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો એવું માની લેવામાં આવે કે વિદેશી નાગરિકતા મળતાની સાથે જ ભારતીય લગ્નો પર વિદેશી કાયદો લાગુ થશે, તો તે ગંભીર અરાજકતા તરફ દોરી જશે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ કરવામાં આવેલા લગ્ન ભારતમાં હોય કે વિદેશમાં, તેનો અધિકારક્ષેત્ર ફક્ત ભારતીય અદાલતો પાસે જ રહેશે.

હાઈકોર્ટના આ આદેશ પછી, પત્નીની અરજીઓ ફરીથી ફેમિલી કોર્ટમાં સુનાવણી માટે જશે. આ નિર્ણયથી એક મોટો સંદેશ મળ્યો છે કે, વિદેશી કોર્ટનો આદેશ ભારતીય વૈવાહિક કાયદાઓ પર પ્રભુત્વ મેળવી શકે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)