
આ છૂટ ફક્ત તેઓ માટે લાગુ પડશે જેમની મિલકત સોસાયટી, એસોસિએશન કે નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હોય.

રાજ્ય સરકારે ચાર મહિના પહેલા હાઉસિંગ સોસાયટીઓમાં ટ્રાન્સફર ફી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે કોઈ પણ હાઉસિંગ અથવા હાઉસિંગ સર્વિસ સોસાયટી ખરીદ/વેચાણ વખતે કુલ અવેજ રકમના 0.5% અથવા વધુમાં વધુ ₹1 લાખ જેટલી જ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે.

રાજ્યભરમાં લગભગ 30,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓ કાર્યરત છે. અગાઉ કેટલીક સોસાયટીઓ દ્વારા કાયદા-નિયમ વિના વધુ ફી વસૂલ થતી હતી. તેને અટકાવવા માટે રાજ્ય સરકારે સહકારી કાયદામાં 2024માં સુધારા કર્યા હતા.

આ નિયમો અંતર્ગત સોસાયટીઓ કોઈ પણ બહાનો આપી ₹1 લાખથી વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહીં. જો કોઈ કાયદેસર વારસદારને અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી હોય, તો પણ ટ્રાન્સફર ફી વસૂલવી નહી શકે.

સાથે જ કોઈપણ ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઇ નામે પણ ટ્રાન્સફર વખતે રકમ વસૂલવાની મંજૂરી નહીં હોય.
Published On - 10:42 am, Mon, 30 June 25