
રાજકોટથી ઇન્ડિગો દ્વારા ચલાવાતી મુંબઈની 3 અને દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ તથા ગોવાની 1-1 ફ્લાઈટો રદ કરાઈ હતી. એ જ રીતે, એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની 1 ફ્લાઈટ પણ રદ કરાઈ હતી. હાલ તમામ સેવાઓ ધીમે ધીમે પુનઃ શરૂ થતી જોવા મળી રહી છે.

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે બંધ કરાયેલ જામનગર એરપોર્ટ પણ આજે પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લો મુકાઈ ગયો છે. હવે અહીંથી દૈનિક વિમાની સેવાઓ ફરી શરૂ થવાની છે.
Published On - 1:25 pm, Mon, 12 May 25