
સોમનાથ દર્શન ટુર પેકેજની જો આપણે વાત કરીએ તો 28 એપ્રિલથી અમદાવાદથી સવારે 6 કલાકે, એસટી વોલ્વો બસ ઉપડશે. જે બપોરના 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરવાનું રહેશે.પેકેજ 2 દિવસ/ 1 રાત્રિનું પેકેજ છે. પ્રતિ વ્યક્તિ રૂ. 4 હજાર (સિંગલ શેરિંગ) અને રૂ. 7050 (ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત) ચાર્જ રહેશે.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ 26મી એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપડશે.અમદાવાદથી સવારે 6 કલાકે બસ ઉપડી, બપોરે 12 : 30 કલાકે નડાબેટ પહોંચશે. પ્રતિ વ્યક્તિએ ભાડું 1800 રુપિયા રહેશે.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદથી સવારે 9 :00 કલાકે ઉપડી, 11 : 15 કલાકે વડનગર અને 5 : 30 વાગ્યે મોઢેરા પહોંચશે. ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100 રહેશે.

તમામ ટુર પેકેજમાં લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીઓનો રહેશે. ટુર પેકેજમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.in થી કરી શકાશે