Breaking News: 117 વર્ષ જૂનુ શેરબજાર દાયકાથી બંધ, ફરી શરૂ કરવા ‘સરકાર’ તૈયાર, જાણો શું છે ‘આખો પ્લાન’

આ રાજ્યમાં ચૂંટણી જીતતા જ ભાજપ સરકાર 117 વર્ષ જૂના Stock Exchange ને ફરીથી જીવંત કરવાની યોજના પર કામ કરી રહી છે. આ પગલાથી પૂર્વીય ભારતના નાના ઉદ્યોગોને નવું પ્લેટફોર્મ મળશે અને રાજ્યમાં મોટા રોકાણ લાવવામાં મદદ મળશે.

| Edited By: | Updated on: Jun 22, 2026 | 5:03 PM
1 / 7
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી ભાજપ સરકાર રાજ્યની આર્થિક ઓળખને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં મોટા પગલાં પર વિચાર કરી રહી છે. આ જ કડીમાં હવે ચર્ચા તેજ થઈ ગઈ છે કે, 117 વર્ષ જૂના Calcutta Stock Exchange (CSE) ને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ શરૂ થઈ શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી ભાજપ સરકાર રાજ્યની આર્થિક ઓળખને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં મોટા પગલાં પર વિચાર કરી રહી છે. આ જ કડીમાં હવે ચર્ચા તેજ થઈ ગઈ છે કે, 117 વર્ષ જૂના Calcutta Stock Exchange (CSE) ને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ શરૂ થઈ શકે છે.

2 / 7
એક સમયે દેશના સૌથી પ્રભાવશાળી શેરબજારમાં રહેલું CSE છેલ્લા એક દાયકાથી વધુ સમયથી નિષ્ક્રિય પડ્યું છે. જો કે, નવી સરકાર તેને માત્ર એક સ્ટોક એક્સચેન્જ તરીકે નહીં પરંતુ બંગાળના આર્થિક ગૌરવ અને ઔદ્યોગિક પુનરુત્થાનના પ્રતીક તરીકે જોઈ રહી છે.

એક સમયે દેશના સૌથી પ્રભાવશાળી શેરબજારમાં રહેલું CSE છેલ્લા એક દાયકાથી વધુ સમયથી નિષ્ક્રિય પડ્યું છે. જો કે, નવી સરકાર તેને માત્ર એક સ્ટોક એક્સચેન્જ તરીકે નહીં પરંતુ બંગાળના આર્થિક ગૌરવ અને ઔદ્યોગિક પુનરુત્થાનના પ્રતીક તરીકે જોઈ રહી છે.

3 / 7
વર્ષ 1908માં મુંબઈ પછી દેશનું સૌથી મહત્વપૂર્ણ શેરબજાર માનવામાં આવતું હતું. પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતની સેંકડો કંપનીઓ અહીં લિસ્ટેડ હતી તેમજ હજારો રોકાણકારો આના દ્વારા વેપાર કરતા હતા. જો કે, ટેકનિકલ પરિવર્તન, NSE અને BSE ના વધતા વર્ચસ્વ તેમજ નિયમનકારી (Regulatory) પડકારોના કારણે CSE નું મહત્વ ધીમે-ધીમે ઘટતું ગયું. અંતે વર્ષ 2013 માં તેના ટ્રેડિંગ ઓપરેશન બંધ થઈ ગયા અને પાછળથી એક્સચેન્જે સ્વૈચ્છિક એક્ઝિટની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી.

વર્ષ 1908માં મુંબઈ પછી દેશનું સૌથી મહત્વપૂર્ણ શેરબજાર માનવામાં આવતું હતું. પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતની સેંકડો કંપનીઓ અહીં લિસ્ટેડ હતી તેમજ હજારો રોકાણકારો આના દ્વારા વેપાર કરતા હતા. જો કે, ટેકનિકલ પરિવર્તન, NSE અને BSE ના વધતા વર્ચસ્વ તેમજ નિયમનકારી (Regulatory) પડકારોના કારણે CSE નું મહત્વ ધીમે-ધીમે ઘટતું ગયું. અંતે વર્ષ 2013 માં તેના ટ્રેડિંગ ઓપરેશન બંધ થઈ ગયા અને પાછળથી એક્સચેન્જે સ્વૈચ્છિક એક્ઝિટની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી.

4 / 7
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકાર માને છે કે જો બંગાળને ફરીથી રોકાણનું કેન્દ્ર બનાવવું હોય તો માત્ર નવા ઉદ્યોગો જ નહીં પરંતુ રાજ્યની ઐતિહાસિક આર્થિક સંસ્થાઓને પણ પુનર્જીવિત કરવી પડશે. સરકારના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, જો નિયમનકારી મંજૂરીઓ મળી જાય, તો CSE ને આધુનિક ટેકનોલોજી, ડિજિટલ ટ્રેડિંગ અને SME પ્લેટફોર્મ તરીકે વિકસાવી શકાય છે. આનાથી પૂર્વીય ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને મૂડી એકત્ર કરવાનું એક નવું પ્લેટફોર્મ મળી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે CSE Revival (પુનરુત્થાન) નો મુદ્દો આર્થિક કરતાં વધુ પ્રતિકાત્મક મહત્વ પણ ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકાર માને છે કે જો બંગાળને ફરીથી રોકાણનું કેન્દ્ર બનાવવું હોય તો માત્ર નવા ઉદ્યોગો જ નહીં પરંતુ રાજ્યની ઐતિહાસિક આર્થિક સંસ્થાઓને પણ પુનર્જીવિત કરવી પડશે. સરકારના વ્યૂહરચનાકારોનું માનવું છે કે, જો નિયમનકારી મંજૂરીઓ મળી જાય, તો CSE ને આધુનિક ટેકનોલોજી, ડિજિટલ ટ્રેડિંગ અને SME પ્લેટફોર્મ તરીકે વિકસાવી શકાય છે. આનાથી પૂર્વીય ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને મૂડી એકત્ર કરવાનું એક નવું પ્લેટફોર્મ મળી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે CSE Revival (પુનરુત્થાન) નો મુદ્દો આર્થિક કરતાં વધુ પ્રતિકાત્મક મહત્વ પણ ધરાવે છે.

5 / 7
વર્ષના છેલ્લા બે મહિના દરમિયાન પણ રજાઓ રહેશે. દિવાળી નિમિત્તે સ્થાનિક શેરબજાર 10 નવેમ્બરે બંધ રહેશે. 24 નવેમ્બરે ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે રજા રહેશે. આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ વર્ષે, મુહૂર્ત ટ્રેડિંગ દિવસ 8 નવેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ફક્ત એક જ રજા છે. નાતાલને કારણે, સ્થાનિક શેરબજારોમાં આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં.

વર્ષના છેલ્લા બે મહિના દરમિયાન પણ રજાઓ રહેશે. દિવાળી નિમિત્તે સ્થાનિક શેરબજાર 10 નવેમ્બરે બંધ રહેશે. 24 નવેમ્બરે ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે રજા રહેશે. આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ વર્ષે, મુહૂર્ત ટ્રેડિંગ દિવસ 8 નવેમ્બર નક્કી કરવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં ફક્ત એક જ રજા છે. નાતાલને કારણે, સ્થાનિક શેરબજારોમાં આ દિવસે કોઈ ટ્રેડિંગ થશે નહીં.

6 / 7
શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે રૂ. 635.91 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે રૂ. 635.91 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

7 / 7
જો આ યોજના આગળ વધશે તો તે માત્ર એક બંધ પડેલા સ્ટોક એક્સચેન્જની વાપસી નહીં હોય પરંતુ પશ્ચિમ બંગાળની આર્થિક વિરાસતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ હશે. સવાલ હવે એ નથી કે, CSE નો ઇતિહાસ કેટલો ગૌરવશાળી હતો પરંતુ એ છે કે, શું નવી ભાજપ સરકાર તે ઇતિહાસને ભવિષ્યમાં બદલવામાં સફળ થઈ શકશે?

જો આ યોજના આગળ વધશે તો તે માત્ર એક બંધ પડેલા સ્ટોક એક્સચેન્જની વાપસી નહીં હોય પરંતુ પશ્ચિમ બંગાળની આર્થિક વિરાસતને પુનર્જીવિત કરવાનો પ્રયાસ હશે. સવાલ હવે એ નથી કે, CSE નો ઇતિહાસ કેટલો ગૌરવશાળી હતો પરંતુ એ છે કે, શું નવી ભાજપ સરકાર તે ઇતિહાસને ભવિષ્યમાં બદલવામાં સફળ થઈ શકશે?

Follow Us