હોમ લોન લેનારા લોકો માટે સારા સમાચાર, RBI ના આ નિર્ણયથી તમને થશે મોટો ફાયદો

|

Feb 08, 2024 | 12:59 PM

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હાલ ગ્રાહકો લોન લેવા જાય છે ત્યારે તેમને વ્યાજ સાથે લોન લેવાની શરૂઆતમાં ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડે છે.

1 / 5
જો તમે પણ નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રિઝર્વ બેંકે મોટી રાહત આપી છે. RBI એ રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર રાખીને લોકો માટે લોનના હપ્તા સસ્તા નથી કર્યા પણ જે લોકો નવી લોન લેશે તેમને દસ્તાવેજ, પ્રોસેસિંગ ફી અને અન્ય પ્રકારના ચાર્જીસ ચૂકવવા નહીં પડે. આ તેમની લોન પરના વ્યાજમાં ઉમેરવામાં આવશે.

જો તમે પણ નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રિઝર્વ બેંકે મોટી રાહત આપી છે. RBI એ રેપો રેટને પહેલાની જેમ 6.5 ટકા પર રાખીને લોકો માટે લોનના હપ્તા સસ્તા નથી કર્યા પણ જે લોકો નવી લોન લેશે તેમને દસ્તાવેજ, પ્રોસેસિંગ ફી અને અન્ય પ્રકારના ચાર્જીસ ચૂકવવા નહીં પડે. આ તેમની લોન પરના વ્યાજમાં ઉમેરવામાં આવશે.

2 / 5
RBI લાંબા સમયથી ગ્રાહકો માટે લોન અને તેની સંબંધિત સિસ્ટમને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે.લોનની વસૂલાત માટેના નિયમો હોય કે પછી લોન પર વસૂલવામાં આવતા વ્યાજને રેપો રેટ સાથે જોડવાનું હોય. આરબીઆઈએ લોન પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ અંગે સમાન નિર્ણય લીધો છે.

RBI લાંબા સમયથી ગ્રાહકો માટે લોન અને તેની સંબંધિત સિસ્ટમને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે.લોનની વસૂલાત માટેના નિયમો હોય કે પછી લોન પર વસૂલવામાં આવતા વ્યાજને રેપો રેટ સાથે જોડવાનું હોય. આરબીઆઈએ લોન પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ અંગે સમાન નિર્ણય લીધો છે.

3 / 5
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હાલ ગ્રાહકો લોન લેવા જાય છે ત્યારે તેમને વ્યાજ સાથે લોન લેવાની શરૂઆતમાં ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડે છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 8 ફેબ્રુઆરીના રોજ નાણાકીય નીતિ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, હાલ ગ્રાહકો લોન લેવા જાય છે ત્યારે તેમને વ્યાજ સાથે લોન લેવાની શરૂઆતમાં ડોક્યુમેન્ટેશન, પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ ચૂકવવા પડે છે.

4 / 5
આ રીતે તેમની લોન પર થતો ખર્ચ વધારે છે. તેથી, હવે બેંકોને તેમના વ્યાજ દરોમાં લોન પરના અન્ય શુલ્ક સામેલ કરવા કહેવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો જાણી શકે કે તેમને તેમની લોન પર કેટલું વાસ્તવિક વ્યાજ ચૂકવવાનું છે.

આ રીતે તેમની લોન પર થતો ખર્ચ વધારે છે. તેથી, હવે બેંકોને તેમના વ્યાજ દરોમાં લોન પરના અન્ય શુલ્ક સામેલ કરવા કહેવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો જાણી શકે કે તેમને તેમની લોન પર કેટલું વાસ્તવિક વ્યાજ ચૂકવવાનું છે.

5 / 5
RBI ના જણાવ્યા અનુસાર, લોન સાથે મળેલા 'કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ્સ' માં તમામ વિગતો ગ્રાહકોને આપવામાં આવી છે. તેમાં પ્રોસેસિંગ ફીથી લઈને ડોક્યુમેન્ટેશન ચાર્જિસ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. હવે આરબીઆઈએ તમામ પ્રકારની રિટેલ લોન (કાર, ઓટો, પર્સનલ લોન) અને MSME લોન માટે તેને ફરજિયાત બનાવ્યું છે.

RBI ના જણાવ્યા અનુસાર, લોન સાથે મળેલા 'કી ફેક્ટ્સ સ્ટેટમેન્ટ્સ' માં તમામ વિગતો ગ્રાહકોને આપવામાં આવી છે. તેમાં પ્રોસેસિંગ ફીથી લઈને ડોક્યુમેન્ટેશન ચાર્જિસ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. હવે આરબીઆઈએ તમામ પ્રકારની રિટેલ લોન (કાર, ઓટો, પર્સનલ લોન) અને MSME લોન માટે તેને ફરજિયાત બનાવ્યું છે.

Next Photo Gallery