
ઇલેક્ટ્રિક વાયરિંગમાં ખામી: જૂના અથવા ખામીયુક્ત પ્લગ અને વાયરિંગ પણ ફ્રિજમાં આગ કે સ્પાર્કનું કારણ બની શકે છે. જો ગેસ લીક થાય તો બ્લાસ્ટ થઈ શકે છે.

ખોટી જાળવણી: જો ફ્રિજ દિવાલની ખૂબ નજીક રાખવામાં આવે અથવા તેમાં ઘણી બધી વસ્તુઓ ભરેલી હોય, તો તેની અંદર હવાનો પ્રવાહ બંધ થઈ શકે છે. જેનાથી મશીન પર દબાણ વધે છે અને અકસ્માત થઈ શકે છે.

આવા અકસ્માતો બન્યા છે: ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ફ્રિજ બ્લાસ્ટના કિસ્સાઓ નોંધાયા છે. કેટલાક કિસ્સાઓમાં લોકોને ગંભીર ઇજાઓ થઈ છે અને ઘરમાં આગ પણ લાગી છે.

આ ભયથી કેવી રીતે બચી શકાય?: હંમેશા ISI માર્કવાળા ફ્રિજ ખરીદો. યોગ્ય વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો. સમય સમય પર તેની સર્વિસ કરાવો. ફ્રિજને દિવાલથી થોડા અંતરે રાખો. જો તમને લીકેજ કે બળવાની ગંધ આવે તો તરત જ પ્લગ દૂર કરો. સ્થાનિક ઇલેક્ટ્રિશિયન પાસેથી તેનું સમારકામ ન કરાવો, કંપની પાસેથી જ સર્વિસ કરાવો.