
ગુસ્સો દૂર શ્રેષ્ઠ માર્ગ - જો તમે દિવસની કોઈ ઘટનાને કારણે અસ્વસ્થ છો અને બેચેની અનુભવી રહ્યા છો તો સાંજે યોગ કરવો એ ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ફિટ રહેવાની સાથે, તમને માનસિક ચિંતામાંથી પણ રાહત મળે છે.

ઓફિસ જવાની ઉતાવળ, આખા દિવસનું આયોજન વગેરે ઘણી બધી બાબતો સવારે મનમાં ચાલતી રહે છે. ખાસ કરીને જેઓ પોતાની દિનચર્યાનું કડક રીતે પાલન કરી શકતા નથી, તેમના માટે આ એક મોટી સમસ્યા બની જાય છે. આવી સ્થિતિમાં તમે સાંજે યોગ કરીને તમારા શરીરને ફિટ રાખી શકો છો. આનું કારણ એ છે કે સાંજ સુધીમાં તમે દિવસની મોટાભાગની પ્રવૃત્તિઓ પૂર્ણ કરી લીધી હોય છે અને તમારા મનમાં કોઈ ઉતાવળ હોતી નથી.