
ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જે ઘરે બનાવો ખૂબ જ સરળ છે.

સૌથી પહેલા એક પેનમાં ઘી મુકીને ધાણાને શેકી લો. ત્યારબાદ પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો. હવે ફરી એક પેનમાં ઘી મુકો.

આ ઉપરાંત તેમાં કોપરાની છીણ, ઈલાયચીનો પાવડર , વરિયાળી સહિતની સામગ્રીને શેકી લો. આ તમામને ઠંડુ થવા દો.

ત્યારબાદ ધાણાને મિક્સરમાં વાટી લો. તેમજ કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુઓને પણ મિક્સરમાં વાટીને પાવડર બનાવો.

પંજરી બનાવવા એક મોટું વાસણ લો. તેમાં ધાણાનો પાવડર, અને કોપરાની છીણ સહિતની શેકેલી વસ્તુનો પાવડર મિક્સ કરો.

આ મિશ્રણમાં હવે બુરુ ખાંડ અથવા તો ખાંડને પીસીને ઉમેરીને બરાબર મિક્સ કરો. પંજરીના પ્રસાદમાં તેમે ડ્રાયફ્રુટ અથવા માવાને પણ ઉમેરી શકો છો.