
હૃદય : જો તમારું હૃદય બરાબર કામ ન કરતું હોય તો પણ શરીરના જુદા જુદા ભાગોમાં ઓક્સિજન યોગ્ય રીતે પહોંચતું નથી. એક્સપર્ટ્સનું કહેવું છે કે હાર્ટ વાલ્વ ફેલ થવાને કારણે હાંફવાની સમસ્યા પણ થઈ શકે છે.

તણાવ અને ચિંતા : તમે કદાચ માનશો નહીં, પરંતુ તણાવ અને ચિંતા પણ થાકનું કારણ બને છે. અતિશય તાણ સ્નાયુમાં ખેંચાણનું કારણ બની શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

આ રીતે કરો ઉપાયો : તમારા આહારમાં આયર્ન, વિટામિન બી-12 અને ફોલિક એસિડ ધરાવતી વસ્તુઓનો સમાવેશ કરો. તેનાથી લોહીમાં ઓક્સિજનનું સ્તર વધે છે. નિષ્ણાતો કહે છે કે દરરોજ હળવી કસરત કરો. શ્વાસ લેવાની કસરત કરવી પણ ખૂબ ફાયદાકારક રહેશે. તમે વારંવાર હાંફવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો ડૉક્ટરની સલાહ લો અને તમારા લોહીની તપાસ કરાવો. આ સિવાય તણાવ ઓછો કરવા માટે ધ્યાન કરો. તમે યોગાસન પણ કરી શકો છો.