
વાસ્તુ શાસ્ત્ર અનુસાર એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી ઝાડુ કરો છો ત્યારે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેને ક્યાંક કચરાપેટીમાં રાખો અને સવારે બહાર ફેંકી દો. એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની બહાર માટી ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર જાય છે અને અલક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે.

લોજીક: પહેલાના સમયમાં જ્યારે ગામડામાં લાઈટ નહોતી ત્યારે સંધ્યા સમય પછી કચરો નહોતા કાઢતા. તેવું એટલા માટે કરતા કે કોઈ કિંમતી ચીજ-વસ્તુ કચરાની જોડે બહાર ના જતી રહે. એટલે કદાચ વડીલો આપણને સાંજે કચરો કાઢવાની ના પાડતા. પરંતુ અત્યારે એવું કંઈ નથી. લાઈટની સુવિધાઓ પણ છે. એટલે પહેલા જે ચીજ-વસ્તુઓ ખોવાઈ જવાનો ડર હતો તે હવે રહેતો નથી. પરંતુ આજે પણ વડીલોની વાતો ને માન આપીને આ માન્યતા હજી પણ લોકો ફોલો કરે છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)