
હલાસન: હલાસનમાં શરીરને વાળીને પગને માથા પાછળ જમીન પર લઈ જવામાં આવે છે. આ આસન પેટ, પીઠ અને કરોડરજ્જુ માટે સારું માનવામાં આવે છે, પરંતુ ફ્લેક્સિબલ અને યોગ્ય ટેકનિક વિના તે કરોડરજ્જુ પર વધુ તાણ લાવી શકે છે. આનાથી પીઠનો દુખાવો, ગરદનમાં ખેંચાણ અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પશ્ચિમોત્તાનાસન: આ આસન આગળ તરફ ઝુકવાની મુદ્રા છે. જેમાં શરીરને પગની દિશામાં વાળવામાં આવે છે અને કપાળને ઘૂંટણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો શરીરમાં ફ્લેક્સિબિલિટીનો અભાવ હોય તો આ આસન તમારી કમર, હેમસ્ટ્રિંગ્સ અને કરોડરજ્જુ પર દબાણ લાવી શકે છે. આનાથી કમરનો દુખાવો, સ્નાયુઓમાં ખેંચાણ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

નટરાજાસન: નટરાજાસનમાં સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આમાં શરીર એક પગ પર ઊભા રહીને બીજા પગને પાછળની તરફ પકડીને વળેલું હોય છે. આ એક એવું આસન છે જે શરીરની સુંદરતા અને સંતુલન વધારે છે, પરંતુ જો તે પ્રેક્ટિસ વિના કરવામાં આવે તો સંતુલન ગુમાવવાનું જોખમ રહેલું છે. આનાથી ઘૂંટણમાં મચકોડ, પીઠમાં ખેંચાણ અને પડી જવાનો ભય રહે છે. જ્યારે પણ તમે ઘરે યોગ કરવાનું વિચારો છો ત્યારે આ આસનો કરવાનું ટાળો. જો તમારી પાસે કોઈ નિષ્ણાત હોય તો જ આ આસનોનો અભ્યાસ કરો. જેથી તમે કોઈપણ મોટા નુકસાનથી બચી શકો.
Published On - 9:49 am, Mon, 23 June 25