
રોહિત શર્માએ બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો શમીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ છે. તેને વધુ એક આંચકો લાગ્યો છે. અને તેના ઘૂંટણમાં હજુ પણ સોજો છે. હવે તેણે ફરી શરૂઆત કરવી પડશે. શમી ફિઝિયો અને ડોક્ટર સાથે છે. અમે ઘાયલ (ઈજાગ્રસ્ત) શમીને ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગતા નથી.

કેપ્ટન રોહિત શર્માના નિવેદન બાદ એક વાત તો સ્પષ્ટ થઈ છે કે શમીની ઈજા સામાન્ય નથી. એવામાં જોવાનું એ રહેશે કે શમી કેટલી જલ્દી આ ઈજામાંથી સાજો થશે? અને શું સિલેક્ટર્સ શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં શમીની પસંદગી કરશે? (All Photo Credit : PTI/GETTY/ICC/BCCI)
Published On - 6:14 pm, Tue, 15 October 24