
વિરાટ કોહલીએ આઈસીસી ટી20 વર્લ્ડકપની ટ્રોફી જીત્યાબાદ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટને તો અલવિદા કહી દીધું છે અને હવે અનુભવી ખેલાડી માત્ર વનડે ફોર્મેટમાં રમતો જોવા મળે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મુલાકાત વર્ષ 2013માં એક જાહેરાતની શૂટિંગ વખતે થઈ હતી. બંન્નેની મિત્રતા અને મુલાકાત વધી ગઈ અને આ સંબંધો પ્રેમમાં પરિવર્તિત થયા હતા. ત્યારબાદ અનુષ્કા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચતી હતી.

વર્ષ 2017માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. બંન્નેના લગ્ન ઈટલીમાં થયા હતા. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા. આજે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી 2 બાળકોના માતા-પિતા છે. દીકરીનું નામ વામિકા અને દીકરાનું નામ અકાય છે.