
223 દિવસ પછી વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હતી. પરંતુ આ વાપસી તેના માટે યાદગાર રહી ન હતી. રોહિત અને કોહલી 2027ના ODI વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે.

આ સિવાય રોહિત શર્મા પણ 8 રન બનાવી હેઝલવુડના બોલ પર આઉટ થયો હતો. રોહિત શર્મા 4 ઓવરની અંદર આઉટ થયો હતો. રોહિત શર્મા આઉટ થતાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ અને ચાહકો ખુશ થયા હતા.આ રીતે, ટીમ ઈન્ડિયાના બે અનુભવી ખેલાડીઓની વાપસી ખૂબ જ ખરાબ રહી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મે મહિનામાં ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પહેલા રોહિત, પછી વિરાટ. બંનેએ લગભગ એક જ સમયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી બંનેએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.