ક્રિકેટમાં ખેલાડીઓ પોતાના અદ્દભુત પ્રદર્શનથી ટીમને જીત અપાવતા હોય છે. ત્યારે ટી20 ક્રિકેટ હોય કે અન્ય કોઈ એક સમયે ક્રિકેટરો ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરે છે, પરંતુ જ્યારે બે ખેલાડી એક સાથે સંન્યાસ લેવાની વાત તમે સાંભળી છે નહિ તો તમને જણાવી દઈએ કે, આ 6 ભારતીય ખેલાડીઓએ સંન્યાસ લઈ સૌને ચોંકાવી દીધા હતા.
ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે ટ્રોફી જીતી લીધી છે. આ સાથે વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તો આજે આપણે વાત કરીશું કે, આ જોડી પહેલા પણ કેટલીક એવી ક્રિકેટ જોડી છે, જે એક સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે.
સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ બંન્નેએ એક સાથે ટી20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે. બંન્ને ભારતીય દિગ્ગજોએ 2013ની ચેમ્પિયન્સ લીગની ફાઈનલ બાદ ટી20માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
એમએસધોની અને સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2022ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ સૌને ચોંકાવી દીધા છે. આ દિવસે આખો દેશ જશ્ન મનાવી રહ્યા હતા અને ભારતીય ક્રિકેટના 2 દિગ્ગજોએ સંન્યાસની જાહેરાત કરી સૌનું દિલ તોડી નાંખ્યું હતુ. આ બંન્ને ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી લખ્યું તમારા પ્રેમ અને સમર્થન માટે ખુબ ખુબ ધન્યવાદ. મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી દુનિયાના એક શાનદાર કેપ્ટન અને વિકેટકીપર તરીકે કરવામાં આવે છે. મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના ઝટકા માંથી ચાહકો હજુ બહાર ન હોતા આવ્યા ત્યાં સુરેશ રૈનાએ પણ સંન્યાસની જાહેરાત કરી હતી. રૈના 2013માં ચેમ્પિયન ટ્રોફી જીતનારી ટીમનો ભાગ રહી ચુક્યો છે.