
જાણકારી અનુસાર ઈનામની રકમમાંથી 15 સભ્યોની ટીમના તમામ ખેલાડીઓને 5-5 કરોડ રૂપિયા મળશે. આ સિવાય T20 વર્લ્ડ કપમાં મુખ્ય કોચ રહેલા રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બરેને 2.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. તમને જણાવી દઈએ કે, પહેલા રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા મળવાના હતા, પરંતુ તે તેના બાકીના કોચિંગ સ્ટાફ જેટલી જ ઈનામની રકમ ઈચ્છે છે, જેના કારણે તેણે 5 કરોડ રૂપિયામાંથી અડધી એટલે કે 2.5 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ભારતીય ટીમના ત્રણ ફિઝિયો, 3 થ્રો ડાઉન નિષ્ણાતો, 2 મસાજ થેરાપિસ્ટ અને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચને પણ 2-2 કરોડ રૂપિયા મળશે. પાંચ સભ્યોની પસંદગી સમિતિને પણ 1 કરોડ રૂપિયા મળવાના છે. આ સિવાય ટૂર્નામેન્ટ માટે રિઝર્વ તરીકે 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, આ ખેલાડીઓને પ્રાઈઝ મની તરીકે દરેકને 1 કરોડ રૂપિયા પણ મળશે. બીજી તરફ, વિડિયો વિશ્લેષકો અને BCCI સ્ટાફ સભ્યોને પણ ઈનામની રકમમાં ભાગ મળશે.