IND vs SA Final: ગુજરાતના આ ત્રણ ખેલાડીઓએ ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ, કર્યો આવો કમાલ, જાણો

|

Jun 30, 2024 | 9:47 AM

બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વર્લ્ડ કપમાં છેલ્લી 7 ઇનિંગ્સમાં નિષ્ફળ રહેલા કોહલીએ પહેલી જ ઓવરમાં 3 ચોગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરી હતી. જોકે અંત સુધી મેચ એટલી રોમાંચક બની હતી કે ફેન્સ પલકારો પણ મારી શક્યા નથી. જોકે આ કપ હાંસલ કરવામાં આ ત્રણ ગુજરાતીઓનો મોટો ફાળો છે.

1 / 5
19 નવેમ્બરનું દર્દ જે ટીમ ઈન્ડિયા અને ભારતીય પ્રશંસકો છેલ્લા 7 મહિનાથી પોતાના દિલમાં વહન કરી રહ્યા હતા, 29 જૂને તેને હંમેશ માટે દૂર કરી દીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 8 રનથી હરાવીને સમગ્ર ભારતને ખુશીઓથી ભરી દીધું હતું.

19 નવેમ્બરનું દર્દ જે ટીમ ઈન્ડિયા અને ભારતીય પ્રશંસકો છેલ્લા 7 મહિનાથી પોતાના દિલમાં વહન કરી રહ્યા હતા, 29 જૂને તેને હંમેશ માટે દૂર કરી દીધું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 8 રનથી હરાવીને સમગ્ર ભારતને ખુશીઓથી ભરી દીધું હતું.

2 / 5
મૂળ નડિયાદનો ખેલાડી અક્ષર પટેલની દમદાર બેટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા. તેણે આફ્રિકા સામે ફટકાબાજી શરૂ કરી હતી. કેશવ મહારાજને જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી. 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 75/3 હતો. મહત્વનું છે કે વિરાટ કોહલી-અક્ષર પટેલની મજબૂત બેટિંગ પણ આ દરમ્યાન જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, અક્ષર પટેલના રૂપમાં લાગ્યો હતો જે રનઆઉટ થયો હતો. અક્ષર પટેલ 47 રન બનાવી આઉટ થયો હતો જે ઈન્ડિયાની જીત માટે મહત્વનું ગણાય છે.

મૂળ નડિયાદનો ખેલાડી અક્ષર પટેલની દમદાર બેટિંગે ચાહકોના દિલ જીતી લીધા હતા. તેણે આફ્રિકા સામે ફટકાબાજી શરૂ કરી હતી. કેશવ મહારાજને જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી. 10 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 75/3 હતો. મહત્વનું છે કે વિરાટ કોહલી-અક્ષર પટેલની મજબૂત બેટિંગ પણ આ દરમ્યાન જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાને ચોથો ઝટકો, અક્ષર પટેલના રૂપમાં લાગ્યો હતો જે રનઆઉટ થયો હતો. અક્ષર પટેલ 47 રન બનાવી આઉટ થયો હતો જે ઈન્ડિયાની જીત માટે મહત્વનું ગણાય છે.

3 / 5
ભારતના ક્રિકેટ ફેન્સને સૌથી પ્રિય ગુજરાતનો ખેલાડી બૂમરાહ જે દરેક મેચમાં કમાલ કરે છે. T20 ક્રિકેટને બેટ્સમેનની રમત કહેવામાં આવે છે પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં એક બોલરે આ ફોર્મેટ બદલી નાખ્યું હતું. આ બોલર જસપ્રીત બુમરાહ છે જે T20 વર્લ્ડ કપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થયો હતો. આ મેચમાં ભારતની બોલિંગ વખતે ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહે અપાવી પહેલી સફળતા, આફ્રિકાનો ઓપનર રીઝા હેન્ડ્રીક્સ માત્ર 4 રન બનાવી થયો. જોકે

ભારતના ક્રિકેટ ફેન્સને સૌથી પ્રિય ગુજરાતનો ખેલાડી બૂમરાહ જે દરેક મેચમાં કમાલ કરે છે. T20 ક્રિકેટને બેટ્સમેનની રમત કહેવામાં આવે છે પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં એક બોલરે આ ફોર્મેટ બદલી નાખ્યું હતું. આ બોલર જસપ્રીત બુમરાહ છે જે T20 વર્લ્ડ કપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ થયો હતો. આ મેચમાં ભારતની બોલિંગ વખતે ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહે અપાવી પહેલી સફળતા, આફ્રિકાનો ઓપનર રીઝા હેન્ડ્રીક્સ માત્ર 4 રન બનાવી થયો. જોકે

4 / 5
ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ બેટિંગમાં ખાસ પ્રદર્શન ન આપ્યું હતું પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેની છેલ્લી બોલિંગને કારણે તે ટીમને વિજય તરફ દોરી ગયા બાદ તેના ખુશીના આંસુ રોકી શક્યો નહીં. જેનો વીડિયો સોશિયલ પર વાયરલ થયો છે.

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ બેટિંગમાં ખાસ પ્રદર્શન ન આપ્યું હતું પરંતુ ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તેની છેલ્લી બોલિંગને કારણે તે ટીમને વિજય તરફ દોરી ગયા બાદ તેના ખુશીના આંસુ રોકી શક્યો નહીં. જેનો વીડિયો સોશિયલ પર વાયરલ થયો છે.

5 / 5
મેચ એવા રોમાંચક મોડ પર હતી. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ગુજ્જુ ઓલરાઉન્ડરે હાર્દિક પંડયાએ પ્રથમ બોલ પર ડેવિડ મિલરની વિકેટ લઈને જીત પર મહોર મારી હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર સિક્સરથી બચવા માટે સનસનાટીભર્યો કેચ લીધો અને મિલરને આઉટ કર્યો. હાર્દિકે માત્ર 8 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

મેચ એવા રોમાંચક મોડ પર હતી. છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ગુજ્જુ ઓલરાઉન્ડરે હાર્દિક પંડયાએ પ્રથમ બોલ પર ડેવિડ મિલરની વિકેટ લઈને જીત પર મહોર મારી હતી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર સિક્સરથી બચવા માટે સનસનાટીભર્યો કેચ લીધો અને મિલરને આઉટ કર્યો. હાર્દિકે માત્ર 8 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

Next Photo Gallery