
સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે T20 સિરીઝની શરૂઆત પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હાર્દિક સાથે મારા સંબંધો ખરેખર ખૂબ સારા છે. તે માત્ર વધારાની જવાબદારી છે જે મને મળી છે. હાર્દિક લીડરશિપ ગ્રુપનો ભાગ છે અને અમે સારા મિત્રો છીએ. ઘણા લોકો માને છે કે મેનેજમેન્ટ હવે હાર્દિક પંડ્યાને સુકાની તરીકે માનતું નથી, પરંતુ સૂર્યાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 16 T20 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી છે. આ સમયગાળા દરમિયાન ભારતે 11 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ રોહિતે 2024 T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય T20 ટીમમાં પુનરાગમન કર્યું હતું. ત્યારબાદ હાર્દિકને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી મળી નથી. (All Photo Credit : PTI)
Published On - 9:25 pm, Tue, 21 January 25