
સમરજીત સિંહે તેમના પિતા મહારાજા રણજીત સિંહ પ્રતાપ સિંહ ગાયકવાડના મૃત્યુ પછી ગાદી સંભાળી હતી. 2012 માં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે તેમને સત્તાવાર રીતે મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા.

સમરજીત સિંહને 2013માં થયેલા કરાર હેઠળ ગાયકવાડ પરિવારની મિલકત અને મહેલ વારસામાં મળ્યો હતો. ત્યારથી તે પોતાના પરિવાર સાથે અહીં રહે છે.

સમરજીત સિંહના લગ્ન 2002માં થયા હતા. તેમને 2 દકરીઓ છે. મોટી દીકરી યુકેમાં અભ્યાસ કરી રહી છે. તો બીજી દીકરી પણ અભ્યાસ કરી રહી છે.આ મહેલ ચાર માળનો છે અને લગભગ 700 એકરમાં ફેલાયેલો છે. આ મહેલમાં 170 રૂમ ફક્ત મહારાજા અને રાણી માટે બનાવવામાં આવ્યા છે.મહેલની ચારેબાજુ બગીચા આવેલા છે.

એક રિપોર્ટ મુજબ લક્ષ્મી વિલાસ પેલેસની અંદાજિત કિંમત 25000 કરોડ રૂપિયાથી વધુ છે. મુકેશ અંબાણીની એન્ટિલિયાની કિંમત 15000 કરોડ રૂપિયા છે.
Published On - 12:52 pm, Wed, 19 February 25