
રોહિત શર્મા રણજી ટ્રોફી 2024-05ના આગામી રાઉન્ડમાં રમશે નહિ. મુંબઈની ટીમની આગામી મેચ મેઘાલય સાથે 30 જાન્યુઆરીથી રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ની તૈયારીના કારણે રણજી ટ્રોફીમાં આગામી મેચ ન રમવાનો નિર્ણય લીધો છે.

તેમણે આ વિશે મુંબઈ ટીમ મેનેજમેન્ટને પણ જાણકારી આપી છે. બીજી બાજુ યશસ્વી જ્યસ્વાલ પણ મુંબઈની રણજી ટ્રોફી મેચમાં નજર આવશે નહિ. ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

જમ્મુ કાશ્મીરે 5 વિકેટથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેમ છતાં જમ્મુ કાશ્મીરની ટીમ તેના સામે જીત મેળવી અને આ સ્ટાર ખેલાડીઓ સામે પોતાની રમત દેખાડી હતી.