
પરંતુ ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ વનડે સીરિઝ રમશે અને તે પહેલા બીસીસીઆઈએ બંન્ને સ્ટાર ખેલાડીઓને ઘરેલું ક્રિકેટમાં રમવાનો આદેશ જાહેર કર્યો છે.

એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ભારતીય બોર્ડે બંન્ને પૂર્વ કેપ્ટનનો ઘરેલું વનડે ટૂર્નામેન્ટ, વિજય હજારે ટ્રોફીમાં ભાગ લેવાનું કહ્યું છે. પરંતુ આ ટૂર્નામેન્ટ 24 ડિસેમ્બરથી શરુ થશે. 30 નવેમ્બરથી શરુ થઈ રહેલી ભારત-સાઉથ આફ્રિકા વનડે સીરિઝ પર આ શરત લાગુ થશે નહી.

ટીમ ઈન્ડિયાની આગામી વનડે સીરિઝ 11 જાન્યુઆરી 2026થી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હશે અને તેમાં સિલેક્શન માટે બંન્નેએ આ શરત પુરી કરવી પડશે. પરંતુ શું બંન્ને સ્ટાર ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહી. એ જોવાની વાત છે.