
IND vs NZ : ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ ફરી એક વખત બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંન્ને ખેલાડીઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે.આવી સ્થિતિમાં, હિટમેન અને કિંગ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે નહીં.

ભારતીય ટીમના 2 મોટા સુપરસ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા હવે ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હવે માત્ર વનડે સીરિઝમાં રમે છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી વનડે મેચ પછી હિટમેન અને કિંગ કોહલી આગામી 6 મહિના સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમશે નહી. ત્યારે ચાહકોને હવે આ ખાસ સીરિઝની રાહ જોવી પડશે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ પછી ટીમ ઈન્ડિયા 5 મેચની વનડે સીરિઝ રમશે. ત્યારબાદ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માં રમશે. આ મેગા ટૂર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આઈપીએલ 2026ની શરુઆત થઈ શકે છે. હવેટીમ ઈન્ડિયા પોતાની આગામી વનડે સીરિઝ જૂન મહિનામાં રમી શકે છે.

જ્યારે ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. અફઘાનિસ્તાનની ટીમ વિરુદ્ધ 3 મેચની આ સીરિઝમાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી જોવા મળી શકે છે.ટીમ ઈન્ડિયા આઈપીએલ 2026 પછી આઈસીસી વનડે વર્લ્ડકપ 2027ની તૈયારી શરુ કરી દેશે. આવી સ્થિતિમાં રોહિત અને વિરાટ દરેક નાની સીરિઝમાં રમતા જોવા મળશે.

હાલમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી 2 વનડે મેચમાં ભલે રોહિતના બેટમાંથી મોટો સ્કોર આવ્યો ન હો પરંતુ તેમણે સારી શરુઆત કરી હતી.

વિરાટ કોહલી પહેલી વનડે મેચમાં સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. ત્યારે બંન્ને ખેલાડીઓ ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં મોટી ઈનિગ્સ રમી આ સીરિઝનો અંત લાવી શકે છે.