
પાકિસ્તાન સામે મુશ્કેલ સ્થિતિના ડરનુ સૌથી મોટું કારણ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ હતી. જો કે ટીમ ઈન્ડિયા પાસે ઘણા શાનદાર ફિલ્ડર્સ છે, પરંતુ પ્રથમ મેચમાં નબળી સ્થિતિ જોવા મળી હતી અને તેમાં કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ હતો. ભારતીય ટીમ આ મેચમાં બે આસાન કેચ ચૂકી હતી, જેમાં રોહિતે પહેલી ભૂલ કરી હતી. રોહિતે અક્ષર પટેલના બોલ પર ઝાકિર અલીનો સીધો કેચ ના લીધો, જેના કારણે અક્ષર હેટ્રિક પૂરી કરી શક્યો નહીં. ઝાકિરે ફરી એક શાનદાર ઇનિંગ રમીને બાંગ્લાદેશને મજબૂત સ્થિતિમાં લાવી દીધુ હતું.

રોહિત બાદ હાર્દિક પંડ્યાએ પણ સીધો અને આસાન કેચ છોડ્યો, ત્યારબાદ તૌહીદ હૃદયે ભારત સામે શાનદાર સદી ફટકારી. આ બંને સિવાય વિકેટકીપર કેએલ રાહુલે પણ ખૂબ જ સરળ સ્ટમ્પિંગ છોડીને ટીમની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. આ ભૂલો પાકિસ્તાન સામેની મેચમાં ભારતને ઘણી મોંઘી સાબિત થઈ શકે છે. ( તસવીર સૌજન્ય-pti)