
ધોની પછી રોહિત શર્માનો વારો આવે છે. 158 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે તેણે 87 મેચ જીતી છે અને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેની જીતની ટકાવારી 55.06 છે અને તેણે આ ટ્રોફી પણ 5 વખત જીતી છે.

જ્યારે ગૌતમ ગંભીરે 129 મેચમાં સુકાની તરીકે 71 મેચ જીતી છે અને 57માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની જીતની ટકાવારી 55.03 હતી અને ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ વિજેતા પણ બનાવ્યું હતું.

આ સિવાય ડેવિડ વોર્નરે 83 IPL મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને 40માં જીત અને 41માં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 48.19ની જીતની ટકાવારી સાથે સનરાઈઝર્સ હૈદરાબાદને એકવાર ચેમ્પિયન બનાવ્યું. (All Photo Credit : PTI/IPL)