
ચંદ્રકાંત પંડિતને 2022માં KKRના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમનું સ્થાન લીધું હતું.

ઘરેલુ ક્રિકેટમાં છ રણજી ટ્રોફી ટાઈટલ જીતનારા કોચ તરીકે પ્રખ્યાત પંડિત 3 સિઝન માટે KKRના મુખ્ય કોચ હતા.

તેમના નેતૃત્વમાં, KKRએ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજો IPL ખિતાબ જીત્યો હતો. પંડિતની રણનીતિ અને ગૌતમ ગંભીરના માર્ગદર્શને આ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પરંતુ 2025 સિઝનમાં KKRનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. ટીમ 14 માંથી ફક્ત 5 મેચ જીતી શકી અને પ્લેઓફમાં સ્થાન મેળવી શકી નહીં.

અહેવાલો અનુસાર, પંડિતે એક વિદેશી ખેલાડી દ્વારા વિરોધી ટીમના ખેલાડી સાથે ડિનર (રાત્રિભોજન) કરવા પર વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ તેમની કોચિંગ શૈલી પર સવાલો ઉભા થયા હતા. ત્યારથી તેઓ હેડલાઈન્સમાં હતા અને હવ તેઓ ટીમથી અલગ થઈ ગયા છે. (All Photo Credit : PTI / GETTY / IPL / KKR)