
આ બંન્ને બેટ્સમેન જો આઉટ થયા ન હોત તો કેકેઆરને મેચ જીતાડી શકતા હતા પરંતુ આ બંન્ને પેવેલિયન પરત ફર્યા હતા. ચહલે આઠમી વખત આઈપીએલની એક મેચમાં 4 વિકેટ લીધી હતી.

ચહલે અત્યાર સુધીમાં IPLમાં KKR સામે 33 વિકેટ લીધી છે. ચહલે પંજાબ સામે પણ 32 વિકેટ લીધી છે, જેના માટે તે આ વર્ષે રમી રહ્યો છે. ટીમને જીત અપાવતા જ યુઝવેન્દ્ર ચહલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હવે આપણે પંજાબ કિંગ્સના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ ટોપ-4માં છે. આ મેચ પહેલા પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને હતી પરંતુ જીત સાથે પંજાબે લાંબી છલાંગ લગાવી ચોથા સ્થાને આવી ગઈ છે. ચહલ ટીમ માટે મેચ વિનર રહ્યો હતો.