
જીટીની ટીમમાંથી ફક્ત જોસ બટલર અને ગેરાલ્ટ કોટ્ઝ જ પોતાના દેશમાં પાછા ફર્યા છે, તેમના સિવાય તેમના મોટાભાગના વિદેશી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના સભ્યો હજુ પણ ટીમ સાથે છે.

સિઝફાયરની જાહેરાત થયા પછી, BCCI સચિવ દેવજીત સૈકિયાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે ,તમામ હિતધારકો અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કર્યા પછી, IPL 2025 સીઝનની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવશે.

ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલ 2025ની સીઝનમાં ખુબ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં તેમણે 11 મેચ રમી છે. જેમાંથી 8 મેચ જીતવામાં સફર રહી છે. 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઈટન્સે પણ પોતાની બાકી રહેલી 3 મેચમાં દિલ્હી કેપિટલ્સ,લખનૌ સુપર જાયન્ટ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો સામનો કરવાનો છે.