
રિયાન પરાગે જ્યારે સોલ્ટનો કેચ છોડ્યો તે સમયે સોલ્ટ માત્ર 1 રન પર રમી રહ્યો હતો. આ પછી, સોલ્ટે 23 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 26 રનની ઈનિંગ રમી. ઉપરાંત, વિરાટ કોહલી સાથે મળીને તેણે 40 બોલમાં 61 રનની ભાગીદારી કરી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 કેચ લીધા છે. પરંતુ તેણે 4 કેચ છોડ્યા પણ છે. તેની કેચ પકડવાની ક્ષમતા માત્ર 55 ટકા છે. કેપ્ટનનું આ રીતે કેચ છોડવું ટીમ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે.

આ સિઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો, RCB સામેની મેચ પહેલા, તેણે 8 મેચની 8 ઈનિંગ્સમાં 30.28 ની સરેરાશથી 212 રન બનાવ્યા છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ હજુ સુધી એક પણ અડધી સદી પણ ફટકારી શક્યો નથી.

જ્યારે આ સિઝનમાં RCB સામેની મેચ પહેલા રાજસ્થાન રોયલ્સે 8 મેચ રમી છે, જેમાંથી તેઓ 6 હાર્યા છે અને ફક્ત 2 જીત્યા છે અને પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. (All Photo Credit : PTI)