
શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે અને શાનદાર કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં પંજાબ કિંગ્સ માટે સતત 2 મેચ જીતી છે. આ રીતે IPLમાં કેપ્ટન તરીકે તે સતત 8 મેચોથી અપરાજિત છે. અય્યરને કોઈ હરાવી શક્યું નથી.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપને કારણે જ પંજાબ કિંગ્સે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. હકીકતમાં, IPLના ઈતિહાસમાં આ ફક્ત ચોથી વખત છે જ્યારે પંજાબની ટીમે સિઝનની શરૂઆત પ્રથમ બે મેચમાં બે જીત સાથે કરી છે.

અગાઉ આ સિદ્ધિ 2023 સિઝનમાં શિખર ધવનની કેપ્ટનશીપમાં હાંસલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પંજાબે 2014માં જ્યોર્જ બેઈલીની કેપ્ટનશીપ હેઠળ આવી જ શરૂઆત કરી હતી. પછી 2017માં ગ્લેન મેક્સવેલની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ બે મેચ જીતી હતી.

બીજી તરફ, શ્રેયસ અય્યરે આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે પહેલી મેચમાં 97 રન અને બીજી મેચમાં 52 રન બનાવ્યા. આ રીતે, તેણે 2 મેચમાં 206 ના સ્ટ્રાઈક રેટથી 149 રન બનાવ્યા છે અને IPL 2025માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

શ્રેયસ અય્યર IPL 2025માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં હાલ બીજા ક્રમે છે. તેનાથી આગળ ફક્ત LSGનો નિકોલસ પૂરન છે, જેણે 3 મેચમાં 189 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI)