
ક્વોલિફાયર-2 ની બીજી ઇનિંગમાં પંજાબ બેટિંગ કરી રહ્યું હતું આ દરમ્યાન. 10 મી ઓવર હાર્દિક પંડયા નાખી રહ્યો હતો. 10 મી ઓવરના છેલ્લા બોલે નેહલ વાઢેરા 6 બોલમાં 13 રન હતા, હાર્દિક પંડયાએ 10 મી ઓવરનો છેલો બોલ ફેંક્યો અને બાઉન્ટરી પર ફિલ્ડર બોલ્ટે આ કેચ છોડ્યો હતો. આ બાદ નેહલ વાઢેરા 29 બોલમાં 48 રન સુધી પહોંચ્યો હતો. એટલે કે 13 રન પર નેહલ વાઢેરાને મળેલું જીવનદાન મુંબઈની ટીમને મોંઘું પડ્યું.

IPL 2025 ના ક્વોલિફાયર-2 માં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને 11 વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ફાઇનલમાં, તેઓ 3 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

શ્રેયસ ઐયર પંજાબની જીતનો હીરો સાબિત થયો. તેણે 41 બોલમાં 87 રન ફટકારી પંજાબને વિજય અપાવ્યો. કેપ્ટન ઐયરે એકલા હાથે મુંબઈનું ગૌરવ તોડ્યું. મુંબઈએ પંજાબ માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો અને આ ટીમ 200 રનનો બચાવ કરતી વખતે ક્યારેય હાર્યું ન હતું. પરંતુ હવે મુંબઈનું ગૌરવ તૂટી ગયું છે. (All Image - BCCI)
Published On - 2:02 am, Mon, 2 June 25