
અશ્વિની કુમારને 2025ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખેલાડીને ડેથ ઓવર્સમાં નિષ્ણાત માનવામાં આવે છે. અશ્વિનીએ 2022માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ માટે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 4 T20 મેચોમાં 3 વિકેટ લીધી છે, જેનો ઈકોનોમી રેટ 8.5 રન પ્રતિ ઓવર છે.

આ ઈકોનોમી તમને ઊંચી લાગશે પણ આ ખેલાડી ડેથ ઓવરોમાં વધુ બોલિંગ કરે છે, તેથી આ આંકડો આશ્ચર્યજનક છે. અશ્વિનીએ પંજાબ માટે 2 ફર્સ્ટ-ક્લાસ અને 4 લિસ્ટ A મેચ પણ રમી છે.

અશ્વિની કુમારનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ મોહાલીના એક નાના ગામ ઝાંઝેરીમાં થયો હતો. આ ખેલાડી ખૂબ જ નાની ઉંમરે મેદાનમાં આવ્યો હતો. અશ્વિની કુમાર એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. અશ્વિની કુમારે શેર-એ-પંજાબ T20 કપમાં 6 મેચમાં 11 વિકેટ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

અશ્વિની કુમારની ખાસિયત તેમની બોલિંગની અલગ શૈલી છે. ગતિમાં ફેરફાર ઉપરાંત, આ ખેલાડી બાઉન્સર અને યોર્કર ફેંકવામાં પણ નિષ્ણાત છે. આ ઉપરાંત, તે નીચલા ક્રમમાં મોટા શોટ પણ રમી શકે છે. આ ખેલાડી દબાણમાં સારું પ્રદર્શન કરવા માટે જાણીતો છે. આ જ કારણ છે કે મુંબઈ ઇન્ડિયન્સે આ ખેલાડી પર આટલો મોટો દાવ લગાવ્યો છે. (All Photo Credit : PTI)
Published On - 9:29 pm, Mon, 31 March 25