
PBKSનો નવો કેપ્ટન શ્રેયસ અય્યર શેડગેની તાકાતથી સારી રીતે વાકેફ છે. બંનેએ મળીને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. શેડગેએ 9 મેચમાં 251.92 ના સ્ટ્રાઈક રેટ અને 43.66ની સરેરાશથી 131 રન બનાવ્યા હતા. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 36 રન હતો, જે તેમની ફિનિશિંગ ક્ષમતા દર્શાવે છે.

સૂર્યાંશે T20માં ચોગ્ગા કરતા વધુ છગ્ગા ફટકાર્યા છે. તેણે T220માં 13 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યાંશ ફક્ત બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ ટીમને ટેકો આપે છે. SMAT 2024માં તેણે 9 મેચમાં 8 વિકેટ પણ લીધી હતી. મુંબઈ ટીમને ખિતાબ જીતવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે પંજાબની ટીમ શેડગેને ક્યાં રમાડે છે?

શ્રેયસ અય્યર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો જેન્સન, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લીસ, લોકી ફર્ગ્યુસન, વી. વિજયકુમાર, યશ ઠાકુર, હરપ્રીત બ્રાર, વિષ્ણુ વિનોદ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, હરનૂર પન્નુ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પાયલ અવિનાશ, પ્રવીણ દુબે. (All Photo Credit : PTI)