
બીસીસીઆઈ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયત્ન કરશે કે સીઝન કેવી રીતે પુરી કરી શકાશે. માર્ચથી મે એ એકમાત્ર સમય છે જ્યારે મોટા દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા નથી.બીજું વેન્યમાં ફેરફાર કરવાનો પણ વિચાર કરી શકે છે.

જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની અસર ઓછી રહે. જે સુરક્ષિત વેન્યું છે. ત્યાં આઈપીએલની બધી મેચ રમાઈ શકે છે. આ પહેલા, જ્યારે કોરોના પછી IPL ભારતમાં પાછી આવી હતી, ત્યારે પણ મેચો ફક્ત થોડા સ્થળોએ જ રમાતી હતી. જેથી ખેલાડીઓએ શક્ય તેટલું ઓછું મુસાફરી કરવી પડે.

બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટુર્નામેન્ટને બીજા દેશમાં ખસેડવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ IPL ભારતની બહાર રમાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, BCCI માટે આ એક વિકલ્પ હોઈ શકે છે. તાજેતરમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન ક્રિકેટની બાકીની મેચો દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો છે.

આઈપીએલની આ સીઝન મુલતવી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. એટલે કે તે બે તબક્કામાં પૂર્ણ કરી શકાય છે. IPL 2021 પણ બે તબક્કામાં રમાઈ હતી. કોરોનાને કારણે 4 મેના રોજ IPL 2021 સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, IPL 2021 ના બીજા તબક્કાનું આયોજન UAEમાં કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં 29 મેચ રમાઈ હતી. બાકીના 31 મેચ બીજા તબક્કામાં યોજાઈ હતી.