
15 ઓગસ્ટથી ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. શ્રીલંકામાં ભારતે અત્યાર સુધી કુલ 24 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 9 મેચમાં જીત મેળવી છે, જ્યારે 7માં હારનો સામનો કર્યો છે. 8 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. હવે ગિલની ટીમ આ રેકોર્ડને વધુ મજબૂત બનાવવા ઉતરશે.

ભારતનો છેલ્લો શ્રીલંકા પ્રવાસ 2017માં થયો હતો. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાને 3-0થી હરાવીને ક્લીન સ્વીપ કર્યો હતો.

આ શ્રેણીમાં વિરાટ કોહલીનું બેટ પણ જોરદાર બોલ્યું હતું. તેણે 600થી વધુ રન બનાવ્યા હતા. ભારત-શ્રીલંકા વચ્ચેની એક ટેસ્ટ શ્રેણીમાં 600થી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 46 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાં ભારતે 22 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાને માત્ર 7 જીત મળી છે. છેલ્લે 2022માં ભારતે શ્રીલંકાને 2-0થી હરાવ્યું હતું.

હવે શુભમન ગિલની સામે શ્રીલંકામાં આ પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખવાનો પડકાર છે. ગાલેમાં 15 ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ શરૂ થશે, જ્યારે બીજી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. (PC:PTI/X)