IND vs SL: 60 રનનું નુકસાન… કેએલ રાહુલની એક ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી

ગાલે ટેસ્ટમાં ભારતની મજબૂત સ્થિતિ અચાનક નબળી પડી ગઈ. કેએલ રાહુલે એક એવી મોટી ભૂલ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાને 60 રનનું મોટું નુકસાન થયું હતું. આ ભૂલના કારણે આસાન જીત તરફ આગળ વધુ રહેલી ટીમ ઈન્ડિયા માટે જીતની રાહ થોડી મુશ્કેલ બની ગઈ.

| Updated on: Aug 17, 2026 | 6:01 PM
1 / 5
શ્રીલંકાની અડધી ટીમ માત્ર 90 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારત પાસે શ્રીલંકન ટીમને ઝડપથી ઓલઆઉટ કરવાની સારી તક હતી. પરંતુ 36મી ઓવરમાં કેએલ રાહુલની એક ભૂલના કારણે ટીમને મોટું નુકસાન થયું.

શ્રીલંકાની અડધી ટીમ માત્ર 90 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારત પાસે શ્રીલંકન ટીમને ઝડપથી ઓલઆઉટ કરવાની સારી તક હતી. પરંતુ 36મી ઓવરમાં કેએલ રાહુલની એક ભૂલના કારણે ટીમને મોટું નુકસાન થયું.

2 / 5
36મી ઓવરમાં માનવ સુથારની બોલ પર ડિકવેલાનો કેચ કેએલ રાહુલના હાથમાંથી છૂટી ગયો. ડિકવેલા તે સમયે માત્ર 20 રન પર હતો. બોલ બેટની ધારને સ્પર્શીને સીધો પ્રથમ સ્લિપમાં રાહુલ પાસે ગયો હતો. કેચ સરળ હોવા છતાં રાહુલ તેને પકડી શક્યો નહીં અને ભારતીય ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા.

36મી ઓવરમાં માનવ સુથારની બોલ પર ડિકવેલાનો કેચ કેએલ રાહુલના હાથમાંથી છૂટી ગયો. ડિકવેલા તે સમયે માત્ર 20 રન પર હતો. બોલ બેટની ધારને સ્પર્શીને સીધો પ્રથમ સ્લિપમાં રાહુલ પાસે ગયો હતો. કેચ સરળ હોવા છતાં રાહુલ તેને પકડી શક્યો નહીં અને ભારતીય ખેલાડીઓ નિરાશ જોવા મળ્યા.

3 / 5
જીવનદાન મળ્યા બાદ ડિકવેલાએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે સોનલ દિનેશ સાથે મળીને 146 રનની મોટી ભાગીદારી કરી અને શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ડિકવેલાએ 115 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કેએલ રાહુલની એક ભૂલથી ટીમ ઈન્ડિયાને 80 રનનું નુકસાન થયું.

જીવનદાન મળ્યા બાદ ડિકવેલાએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે સોનલ દિનેશ સાથે મળીને 146 રનની મોટી ભાગીદારી કરી અને શ્રીલંકાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. ડિકવેલાએ 115 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કેએલ રાહુલની એક ભૂલથી ટીમ ઈન્ડિયાને 80 રનનું નુકસાન થયું.

4 / 5
આ ભાગીદારીએ ન માત્ર શ્રીલંકાને મજબૂતી આપી, પરંતુ ભારત પાસેથી આસાન જીતની તક પણ છીનવી લીધી. એક કેચ છૂટ્યા બાદ ભારતીય બોલરો લાંબા સમય સુધી વિકેટ માટે સંઘર્ષ કરતા રહ્યા.

આ ભાગીદારીએ ન માત્ર શ્રીલંકાને મજબૂતી આપી, પરંતુ ભારત પાસેથી આસાન જીતની તક પણ છીનવી લીધી. એક કેચ છૂટ્યા બાદ ભારતીય બોલરો લાંબા સમય સુધી વિકેટ માટે સંઘર્ષ કરતા રહ્યા.

5 / 5
ભારતીય ટીમ માટે કેચ છોડવાની સમસ્યા ફરી ચિંતાનો વિષય બની છે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ શ્રેણીઓમાં ભારતે 28 કેચ છોડ્યા છે. ફિલ્ડિંગમાં આ પ્રકારની ભૂલો હવે ટીમ માટે મોટી મુશ્કેલી બની રહી છે. (PC:X/INSTAGRAM)

ભારતીય ટીમ માટે કેચ છોડવાની સમસ્યા ફરી ચિંતાનો વિષય બની છે. છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ શ્રેણીઓમાં ભારતે 28 કેચ છોડ્યા છે. ફિલ્ડિંગમાં આ પ્રકારની ભૂલો હવે ટીમ માટે મોટી મુશ્કેલી બની રહી છે. (PC:X/INSTAGRAM)

Published On - 6:00 pm, Mon, 17 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.