
જસપ્રીત બુમરાહ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર છે. તેથી મોહમ્મદ સિરાજ ભારતીય ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. ગાલેમાં સ્પિનરોને મદદ મળવાની શક્યતા હોવા છતાં સિરાજ પોતાની ગતિ અને સ્વિંગથી અસર પાડી શકે છે.

બુમરાહ અને સિરાજે સાથે 29 ટેસ્ટ રમી છે, જેમાં સિરાજે 90 વિકેટ લીધી છે. જોકે, બુમરાહ વિના રમેલી 17 ટેસ્ટમાં સિરાજે 50 વિકેટ ઝડપી છે અને તેની સરેરાશ 25.4 રહી છે.

બુમરાહની ગેરહાજરીમાં સિરાજે અગાઉ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં તેણે નવ વિકેટ લઈને ભારતની ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રિસ્બેન ટેસ્ટમાં પણ તેનું પ્રદર્શન યાદગાર રહ્યું હતું.

સિરાજે શ્રીલંકા સામે અત્યાર સુધી નવ વનડેમાં 22 વિકેટ ઝડપી છે. તેની બોલિંગ સરેરાશ માત્ર 14 રહી છે. આ આંકડા દર્શાવે છે કે શ્રીલંકાની ટીમ સામે સિરાજનું પ્રદર્શન ખાસ રહ્યું છે.

સિરાજ શ્રીલંકા સામે પ્રથમ વખત ટેસ્ટ રમશે. ગાલેમાં સ્પિનરોનું પ્રભુત્વ રહેવાની સંભાવના છે, પરંતુ સિરાજ માટે આ મોટી તક છે. બુમરાહની ગેરહાજરીમાં ટીમને તેની પાસેથી મહત્વની વિકેટોની આશા રહેશે. (PC:PTI/X)