
વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે વર્ષ 2024માં રમાયેલી 9 ટેસ્ટ ઈનિંગ્સમાં 28.5ની એવરેજથી 228 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ સમયગાળા દરમિયાન એક પણ સદી ફટકારી નથી. ફરી એકવાર સદીની તેની રાહ લાંબા સમય સુધી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેણે આ વર્ષે ટેસ્ટમાં માત્ર 50 પ્લસ સ્કોર કર્યા છે. આ વર્ષે રમાયેલી ટેસ્ટની 9 ઈનિંગ્સમાં વિરાટ 3 વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે.

આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે રોહિત અને વિરાટ બંને કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. વિરાટની હાલત રોહિત કરતા થોડી ખરાબ છે. આ બંનેનું એકસાથે ખરાબ પ્રદર્શન ચોક્કસપણે ન્યુઝીલેન્ડ સામે ભારતની હારનું કારણ બની રહ્યું છે. તેમજ તેમને આ રીતે રમતા જોઈને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને લઈને ડરી વધી રહ્યો છે. વાસ્તવમાં, 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રોહિત અને વિરાટની ભૂમિકા ખૂબ જ મહત્વની બનવાની છે. (All photo Credit : PTI / GETTY )