
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે યોજાવનાર વનડે મેચનો મામલે ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમની આસપાસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા વૈકલ્પિક રસ્તો શરૂ કરાશે.જનપથ ટી થઇ પાવર હાઉસ સુધી અવર જવર કરી શકાશે.અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યુ જાહેરનામું છે કે,12 ફેબ્રુઆરી સવારે 9 વાગ્યાથી મેચ પૂર્ણ થાય ત્યા સુધી રસ્તાઓ બંધ રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે છેલ્લી વન ડે મેચ આજે રમાશે. ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી વધુ એક વખત વિશ્વભરમાં જશે સામાજિક સંદેશ મેચ જોવા આવતા પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ લેવડાવી પ્રતિજ્ઞા અપાશે, ICC ચેરમેન જય શાહ અને ટીમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ક્રિકેટના મેદાન થકી અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.ICC નું ચેરમેન પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ યોજાઇ રહી છે

અહીં સૌથી મોટા લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ ભારતીય ટીમના નામે છે, જે તેમણે 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI મેચમાં 325 રનનો પીછો કરતી વખતે બનાવ્યો હતો.