
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

13.3મી ઓવરમાં એન્ડરસની બોલ પર ફોરવર્ડ ડિફેન્સ કરતા ચૂક્યો અને બોલ પેડ સાથે અથડાયો. અમ્પાયર Joel Wilsonએ તેને આઉટ જાહેર કર્યો. જોકે રોહિત શર્માએ DRS લઈને પોતાની વિકેટ બચાવી હતી. DRSમાં અલ્ટ્રાએજમાં જાણવા મળ્યું કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો છે. થર્ડ એમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો.

રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ બે ટેસ્ટમાં પચાસથી વધુનો એક પણ સ્કોર કરી શક્યો ન હતો. જો કે, તેણે આ ટેસ્ટમાં મુશ્કેલ સમયમાં મૂલ્યવાન ઇનિંગ્સ રમી હતી.

ભારતીય ઓપનિંગ જોડી રોહિત શર્મા અને જયસ્વાલ વચ્ચે 22 રનની પાર્ટનરશીપ થઈ હતી.

બીજી સેશનમાં રોહિત શર્મા અને જાડેજા વચ્ચે 90 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી.