
રોહિત શર્મા: ભારતીય કેપ્ટન રોહિત શર્મા જેટલો ODI અને T20માં સફળ થયો છે એટલો ટેસ્ટમાં નથી થયો. રોહિતે અત્યારસુધી 54 ટેસ્ટમાં 10 સદીની મદદથી 3737 રન બનાવ્યા છે. તે કેપ્ટન અને બેટ્સમેન તરીકે ચોક્કસથી સફળ રહ્યો છે, પરંતુ ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતાડવામાં તે નિષ્ફળ રહ્યો છે. રોહિતે હાલ જ T20 ફોર્મેટમાં લાંબા સમય બાદ કમબેક કર્યું છે અને હવે તેની નજર T20 વર્લ્ડ કપ પર છે. એવામાં તે ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાંથી બ્રેક લઈ શકે છે.

વિરાટ કોહલી: વિરાટ કોહલી વર્તમાન સમયનો સૌથી બેસ્ટ બેટ્સમેન છે. વિરાટની ફિટનેસ અને ફોર્મ બંને શાનદાર છે. છતાં વિરાટ પણ રોહિતની જેમ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં વધુ સફળ થવા અને ભારતને ચેમ્પિયન બનાવવા ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લઈ શકે છે. કોહલીએ 113 ટેસ્ટમાં 29 સદીની મદદથી 8848 રન બનાવ્યા છે. વિરાટ ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં ભારત તરફથી સતત ક્રિકેટ રમી રહ્યો છે અને વ્યસ્ત શેડ્યૂલના કારણે રોહિતની જેમ વિરાટ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.