
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 9 સપ્ટેમ્બરથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. પહેલી બે ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે હાર બાદ ત્રીજી ટેસ્ટ પહેલા પાકિસ્તાન ટીમમાં ખળભળાટ મચી ગયો છે. સાત ખેલાડીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં પાંચ નવા ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

હવે પ્રશ્ન એ છે કે, આટલા બધા ફેરફારો પછી, શું પાકિસ્તાન ત્રીજી ટેસ્ટ જીતી શકશે? આ પ્રશ્નનો જવાબ સમય જતાં ખબર પડશે. પરંતુ એ ચોક્કસ છે કે જો પાકિસ્તાન એજબેસ્ટનમાં ત્રીજી ટેસ્ટ હારી જાય છે, તો તેની અસર વિરાટ કોહલી પર પણ પડશે. હવે, તમે પૂછશો કે, આ કેવી રીતે શક્ય છે?

ઈંગ્લેન્ડ જો રૂટના કેપ્ટનશીપ હેઠળ ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. તેથી, એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડની જીત મતલબ જો રૂટની જીત થશે. જો આવું થાય, તો જો રૂટ WTC માં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દેશે.

લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યા પછી, રૂટે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી હતી. હાલમાં, બંને ટીમો WTC માં 14-14 જીત ધરાવે છે, જેમાં એક ટાઇ છે. વિરાટે 22 માંથી 14 મેચ જીતી છે, જ્યારે રૂટે 35 માંથી 14 જીત મેળવી છે. જોકે, આગામી ટેસ્ટમાં પાકિસ્તાન સામેની જીત રૂટને વિરાટ કોહલીથી આગળ કરી દેશે.

ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ WTC માં સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન છે, તેણે 40 મેચમાંથી 25 જીત મેળવી છે. તેના પછી ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સનો નંબર આવે છે, જેણે 40 મેચમાંથી 21 જીત મેળવી છે. (PC:PTI/X)