
IPL 2026 શરૂ થવામાં હજી ઘણો સમય બાકી છે, પણ તે પહેલા મોટો પ્રશ્ન એ છે કે શું મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 માં રમશે. CSK CEO એ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને પુષ્ટિ આપી કે મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લઈ રહ્યો નથી અને તે IPL 2026 માં રમશે. કાસીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું, "આપણે ધોનીને IPL 2026 માં ચોક્કસપણે જોઈશું."

ધોનીએ IPL 2025 માં 14 મેચ રમી, જેમાં 135 થી વધુના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા હતા. તેણે 12 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

IPL 2025 માં સિઝનના મધ્યમાં ધોનીએ કેપ્ટનશીપ સંભાળી હતી. ઋતુરાજની ઈજાને કારણે, તેને આ ભૂમિકા નિભાવવી પડી હતી.

ધોની 2008 થી IPL માં રમી રહ્યો છે. તેણે IPL માં 278 મેચોમાં 38.30 ની સરેરાશથી 5439 રન બનાવ્યા છે. (PC-PTI)