
રિષભ પંતને IPLમાં કેપ્ટનશિપ કરવાનો સારો અનુભવ છે. તે વર્ષ 2021માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બન્યો હતો. પરંતુ 2024 પછી તેમનો રસ્તો દિલ્હીથી અલગ થઈ ગયો. આ પછી તે લખનૌની ટીમમાં આવ્યો અને હવે તેનો હેતુ ટીમને ચેમ્પિયન બનાવવાનો રહેશે.

લખનૌ સુપરજાયન્ટ્સે પંતને કેપ્ટન બનાવીને તેમની જૂની પરંપરા જાળવી રાખી છે. વાસ્તવમાં, પંત ત્રીજા ભારતીય વિકેટકીપર છે જેને સંજીવ ગોએન્કાની ફ્રેન્ચાઈઝી દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પંત પહેલા ધોનીએ પુણે સુપરજાયન્ટની કેપ્ટનશીપ કરી હતી. આ પછી કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

રિષભ પંત, નિકોલસ પૂરન, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસીન ખાન, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયલ, આકાશ દીપ, શેમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શિન કુલકર્ણી , મેથ્યુ બ્રિટ્ઝકે, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ. (All Photo Credit : PTI / X)
Published On - 3:29 pm, Mon, 20 January 25