Breaking News: લખનૌનો સ્ટાર બેટ્સમેન IPL 2026 માંથી બહાર, RR vs LSG મેચ પહેલા ટીમ છોડી પોતાના દેશ પરત ફર્યો

લખનૌ સુપર જાયન્ટ્સ પહેલાથી જ IPL 2026 સિઝનમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેમની પાસે હજુ પણ બે મેચ બાકી છે. આ બે મેચ ટીમ માટે પોતાનું સન્માન બચાવવા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ બંને મેચમાં તેમને તેમના સ્ટાર બેટ્સમેન વિના રમવું પડશે.

| Updated on: May 19, 2026 | 5:38 PM
1 / 7
IPL 2026 પહેલા ભાગ્યે જ કોઈ એક સિઝન દરમિયાન આટલા બધા ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થયા હશે જેટલા આ વખતે થયા હશે. આ ટ્રેન્ડ સિઝન શરૂ થાય તે પહેલાં શરૂ થયો હતો અને તેના અંત પહેલા સુધી ચાલુ રહ્યો.

IPL 2026 પહેલા ભાગ્યે જ કોઈ એક સિઝન દરમિયાન આટલા બધા ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થયા હશે જેટલા આ વખતે થયા હશે. આ ટ્રેન્ડ સિઝન શરૂ થાય તે પહેલાં શરૂ થયો હતો અને તેના અંત પહેલા સુધી ચાલુ રહ્યો.

2 / 7
ગ્રુપ સ્ટેજના છેલ્લા અઠવાડિયામાં પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલી મુંબઈ અને લખનૌના ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. MI ના ક્વિન્ટન ડી કોક અને રાજ અંગદ બાવા  IPL 2026માંથી બહાર થઈ ગયા છે.

ગ્રુપ સ્ટેજના છેલ્લા અઠવાડિયામાં પ્લેઓફમાંથી બહાર થઈ ગયેલી મુંબઈ અને લખનૌના ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. MI ના ક્વિન્ટન ડી કોક અને રાજ અંગદ બાવા IPL 2026માંથી બહાર થઈ ગયા છે.

3 / 7
MI સાથે LSG ને પણ મોટો ઝટકો લાગ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો  સ્ટાર બેટ્સમેન એડન માર્કરામ સિઝનની અંતિમ બે મેચ પહેલા પોતાના વતન દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો છે.

MI સાથે LSG ને પણ મોટો ઝટકો લાગ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો સ્ટાર બેટ્સમેન એડન માર્કરામ સિઝનની અંતિમ બે મેચ પહેલા પોતાના વતન દક્ષિણ આફ્રિકા પાછો ફર્યો છે.

4 / 7
પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલા લખનૌની ટીમ પાસે ફક્ત બે મેચ બાકી છે, જેમાંથી એક મેચ 19 મે, મંગળવારના રોજ જયપુરમાં રમાશે. આ મેચમાં લખનૌનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. જોકે, આ મેચમાં લખનૌ પોતાના બેટ્સમેન માર્કરામ વિના રમશે.

પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહેલા લખનૌની ટીમ પાસે ફક્ત બે મેચ બાકી છે, જેમાંથી એક મેચ 19 મે, મંગળવારના રોજ જયપુરમાં રમાશે. આ મેચમાં લખનૌનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. જોકે, આ મેચમાં લખનૌ પોતાના બેટ્સમેન માર્કરામ વિના રમશે.

5 / 7
એક અહેવાલ મુજબ એડન માર્કરામને અંગત કારણોસર અચાનક પોતાના વતન દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડ્યું હતું અને તેથી તે બાકીની બે મેચ રમી શકશે નહીં.

એક અહેવાલ મુજબ એડન માર્કરામને અંગત કારણોસર અચાનક પોતાના વતન દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડ્યું હતું અને તેથી તે બાકીની બે મેચ રમી શકશે નહીં.

6 / 7
એડન માર્કરામ આ સિઝનમાં લખનૌ માટે બધી 12 મેચ રમ્યો છે. તેણે 12 ઈનિંગ્સમાં ફક્ત 231 રન બનાવ્યા છે. માર્કરામ સમગ્ર આ સિઝનમાં એક ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી. આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર ફક્ત 45 હતો.

એડન માર્કરામ આ સિઝનમાં લખનૌ માટે બધી 12 મેચ રમ્યો છે. તેણે 12 ઈનિંગ્સમાં ફક્ત 231 રન બનાવ્યા છે. માર્કરામ સમગ્ર આ સિઝનમાં એક ફિફ્ટી પણ ફટકારી શક્યો નથી. આ સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર ફક્ત 45 હતો.

7 / 7
રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ 12 મેચમાંથી આઠ પોઈન્ટ સાથે 10મા સ્થાને છે. હવે તેઓ 23 માર્ચે રાજસ્થાન અને પછી પંજાબનો સામનો કરશે. લખનૌ ભલે પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે,  પણ તે રાજસ્થાન અને પંજાબની પ્લેઓફની આશાઓને બરબાદ કરી શકે છે. (PC:PTI/X/LSG)

રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ પહેલા જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ 12 મેચમાંથી આઠ પોઈન્ટ સાથે 10મા સ્થાને છે. હવે તેઓ 23 માર્ચે રાજસ્થાન અને પછી પંજાબનો સામનો કરશે. લખનૌ ભલે પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગયું છે, પણ તે રાજસ્થાન અને પંજાબની પ્લેઓફની આશાઓને બરબાદ કરી શકે છે. (PC:PTI/X/LSG)

Published On - 5:37 pm, Tue, 19 May 26

Follow Us