
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં એ કામ કરી દેખાડ્યું જેની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મળેલી હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હાર આપી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદને આઈપીએલ 2026માં પહેલી જીત મળી છે. આ પહેલી જીતનો પૈસા વસુલ ખેલાડી જયદેવ ઉનડકટ રહ્યો હતો. અનુભવી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 3 ઓવરમાં 21 રન આપી 3 મોટી વિકેટ લીધી હતી. જયદેવે કેકેઆરા કેપ્ટન રહાણે સહિત કાર્તિક ત્યાગી અને વરુણ ચક્રવર્તીની વિકેટ લીધી હતી.

જયદેવ ઉનડકટ હાલમાં ફક્ત 2 મેચમાં 4 વિકેટ સાથે વિકેટ લેવાની રેસમાં આગળ છે. અનુભવી ડાબોડી ફાસ્ટ બોલર ખૂબ જ અસરકારક રહ્યો છે અને તેણે તેની લાઇન અને લેન્થ પર સારું નિયંત્રણ જાળવી રાખ્યું છે.

3/21 ના તેના શાનદાર આંકડા નિર્ણાયક ક્ષણોમાં મહત્વપૂર્ણ વિકેટ લેવાની તેની ક્ષમતા દર્શાવે છે. 8.33 ના ઇકોનોમી રેટ સાથે, ઉનડકટ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ આક્રમણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જયદેવ ઉનડકટને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા IPL 2025ના ઓક્શનમાં 1 કરોડ (બેઝ પ્રાઈસ) માં ખરીદવામાં આવ્યો હતો.

તે IPL ઇતિહાસમાં સાત વખત વેચાતો પ્રથમ ખેલાડી બન્યો હતો. તે હાલમાં SRH ટીમનો ભાગ છે,IPL 2026 સીઝનમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. (all photo :PTI)